આજે ભારતે પ્રથમ પ્રયાસે અંતરિક્ષમાં મંગળયાનને ભ્રમણકક્ષામાં સ્થાપિત કર્યુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઐતિહાસિક દિવસે બેંગલુરૂ ખાતે ઈસરો સેંટર હાજર રહ્યા હતા. જ્યા તેમણે ઈસરોના તમામ વૈજ્ઞાનિકોને અભિનંદન પાઠવતા કહ્યુ કે આ ઐતિહાસિક પળ છે. પ્રથમ પ્રયાસે ભારતે સફળતા પ્રાપ્ત કરી છે. નોંધનીય બાબત એ છે કે મિથેન ગેસ સેન્સર ગુજરાતમાં બન્યુ છે.
વડાપ્રધાને કહ્યુ કે પહેલા જ પ્રયાસે આપણાં વૈજ્ઞાનિકોએ સફળતા પ્રાપ્ત કરી છે. આજે ઈતિહાસ રચાયો. સાધન ઘણા ઓછા અને મુશ્કેલીઓ અનેક તેમ છતા આટલી મોટી સફળતા . આ સફળતાના હકદાઅર દેશના વૈજ્ઞાનિકો છે. મંગળ આપણાથી અંદાજીત 650 મિલિયન કિલોમીટર દૂર છે. આ સફળતાની સાથે જ ઈસરો દુનિયાની ત્રણ એજંસીઓની બરાબર આવી ગયુ છે.