ભારતની પાકિસ્તાનને ચેતાવણી

વાર્તા

શનિવાર, 29 નવેમ્બર 2008 (20:45 IST)
ભારતે આજે ગુજરાત સ્થિત સરક્રીકની ખાડીમાં પાકિસ્તાની નૌકાઓની શંકાસ્પદ ગતિવિધિઓ પર સખત વિરોધ કરતાં કડક શબ્દોમાં ચેતાવણી આપી છે કે, આ બધુ સહન કરવામાં નહી આવે તથા આ ગતિવિધિઓ સામે ગંભીર પગલાં ભરવામાં આવશે.

આતરિક સુરક્ષા મામલોના સચિવ એમ.એલ.કુમાવતે આજે અહીંયા પત્રકાર સંમેલનમાં એક સવાલના જવાબમાં આ વાત કહી હતી. તેમણે કહ્યું હતું કે, હાલમાં આ ક્ષેત્રમાં આવી ઘટનાઓને જોતાં ભારતે બંને દેશોને તટરક્ષક બળો વચ્ચે ફ્લેગ બેઠકોમાં સત્તાવાર રીતે વિરોધ નોંધાવ્યો છે.

વેબદુનિયા પર વાંચો