ભાજપે સાધ્યુ સોનિયા પર નિશાન

ભાષા

મંગળવાર, 30 માર્ચ 2010 (11:03 IST)
કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીને રાષ્ટ્રીય સલાહકાર પરિષદની અધ્યક્ષ બનાવવામાં આવવા પર ભાજપે દાવો કર્યો છે કે, સોનિયા હવે કેન્દ્રની સંયુક્ત પ્રગતિશીલ જોડાણ (યુપીએ) સરકારનો ભાગ બની ગઈ છે. હવે તે પણ કેન્દ્રની નિષ્ફળતા માટે જવાબદાર રહેશે.

ભાજપ પ્રવક્તા નિર્મલા સીતારમને કહ્યું તેનો તાત્કાલિક પ્રભાવ એ રહેશે કે, હવે યુપીએ સરકારનો ભાગ બનીને સોનિયાજી મોંઘવારીને રોકવામાં નિષ્ફળ સહિત સરકારની દરેક ભૂલ-ચૂક માટે સીધી રીતે જવાબદાર રહેશે.

ઉલ્લેખનીય છે કે, સોનિયાને એક વાર ફરી રાષ્ટ્રીય સલાહકાર પરિષદની અધ્યક્ષ બનાવી દેવામાં આવી છે. આશરે ચાર વર્ષ પહેલા તેમને લાભના પદને લઈને ઉભા થયેલા વિવાદ બાદ આ હોદ્દા પરથી રાજીનામું આપી દીધું હતું.

વેબદુનિયા પર વાંચો