ભાજપે 288 સીટવાળી વિધાનસભામાં શિવસેના પાસેથી 135 સીટ માંગી હતી. જેને શિવસેનાએ ફગાવી દીધી હતી. એવુ કહેવાય છે કે શિવસેનાના આવા વલણ બાદ બીજેપીના કેટલાક વરિષ્ઠ નેતાઓએ ઉદ્ધવ ઠાકરેનો સંપર્ક કર્યો અને તેમને 12 કલાકની અંદર સીટ ફાળવણી મુદ્દે જો કોઈ સન્માનજનક સમજૂતી નહી કરવામાં આવે તો રાજ્યમાં એકલા હાથે ચૂંટણી લડવાની ચેતવણી આપી હતી.
શિવસેનાએ આ અલ્ટિમેટમ મુંબઈમાં પાર્ટીના દિગ્ગજ નેતાઓ વચ્ચે થયેલા મંથન બાદ આપવામાં આવ્યુ છે. આ બેઠકમાં અમિત શાહ, નિતિન ગડકરી, રાજીવ પ્રતાપ રેડ્ડી, ઓમ મથુર અને રાજ્યના અન્ય દિગ્ગજ નેતાઓ હાજર હતા.
2009ની વિધાનસભા ચૂંટણીમાં બીજેપી 119 અને કોંગ્રેસ 169 સીટ પરથી ચૂંટણી લડ્યા હતા. આ વખતે ગઠબંધનમાં નાની પાર્ટીઓ આરપીઆઈ આઠવલે, રાષ્ટ્રીય સમાજ પક્ષ, સ્વાભિમાની ક્ષેત્રકારી પક્ષ અને લોકસંગ્રામનો સમાવેશ થાય છે.