મેગેઝીનમાં જણાવાયું છે કે અચ્છે દિનનો નારો આપીને મોદીએ ભલે સરકાઅર બનાવી લીધી પણ કામ કરવાની તેની ગતિ ધીમી છે. મતદાતાઓએ ભાજપને પાછલા 30 વર્ષોમાં સૌથી વધુ સીટો આપી છે , તેમ છતાંય કામની ગતિશીલતા ધીમી રહી છે. ભારતના ભૂતકાલના દરેક વડાપ્રધાન કરતા હાલના પીએમ બરેન્દ્ત મોદીએ તેમની પાસે સૌથી વધુ સત્તા રાખી છે.
મેગેઝીબના માનવા પ્રમાણે ભારતને મોટા ચેઈંજની જરૂર છે અને એ કામ વન મેન બેંડ (મોદી) માટે મોટો પડકાર છે. જો મોદી દેશમાં ફેરફાર લાવવા ઈચ્છતા હોય તો તેમણે વન મેન બેંડમાં કોઈ નવી ધુન મૂકક્વી પડ્શે. અહેવાલમાં એવું પણ કહેવામાં આવ્યુ છે કે પીએમ મોદીનું વિચારવાનું હજુ પણ ગુજરાતના સીએમ જેવું છે. કોઈ રાષ્ટ્રીય નેતા જેવું નહી.