બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમારે આપ્યુ રાજીનામુ

શનિવાર, 17 મે 2014 (16:37 IST)
બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમારે બિહારના મુખ્યમંત્રી પદ પરથી રાજીનામુ આપી દીધુ છે. લોકસભા ચૂંટણીમાં બિહારમાં જેડીયૂએ ખૂબ જ ખરાબ પ્રદર્શન કર્યુ છે. રાજ્યની કુલ 40 સીટોમાંથી જેડીયૂ ફક્ત 2 સીટો પર જીત મેળવી શકી છે. નીતિશ કુમારે બિહારના રાજ્યપાલને રાજીનામુ મોકલી આપ્યુ છે. 
 
અત્રે એ ઉલ્લેખનીય છે કે નરેન્દ્ર મોદીને પ્રધાનમંત્રી પદના ઉમેદવાર બનાવવાથી નારાજ થઈને જેડીયૂએ એનડીએ સાથેના પોતાનું 27 વર્ષ જુનુ ગઠબંધન તોડી નાખ્યુ હતુ. જ કે જેડીયૂને તેનુ ખરાબ પરિણામ ભોગવવુ પડ્યુ અને લોકસભા ચૂંટણીમાં જેડીયૂની કરારી હાર થઈ.  
 

વેબદુનિયા પર વાંચો