પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી તરફથી અમેરિકી સરકારને તેમના યાત્રાની માહિતી આપી દેવામાં આવી છે. હવે બંને પક્ષ બેઠકની તારીખો નક્કી કરવામાં લાગ્યા છે. મોદી આ યાત્રા સમયે જ ન્યૂયોર્કમાં થનારી યૂએન જનરલ અસેંબલીમાં પણ ભાગ લેશે. પણ બંને નેતાઓની મુલાકાત ન્યૂયોર્કમાં નહી પણ વોશિંગટનમાં થશે. બંને દેશ આને પૂર્ણ રીતે દ્વિપક્ષીય મુલાકાત બનાવવા માંગે છે.
સરકારી સૂત્રોનુ કહેવુ છે કે અમેરિકા તરફથી મોદીના પ્રવાસ માટે 30 સપ્ટેમ્બરની તારીખ પ્રસ્તાવિત કરવામાં આવી છે. જ્યારે કે ભરત આ બેઠક 26 સપ્ટેમ્બરના રોજ થાય એવુ ઈચ્છે છે. કારણ કે યૂએન જનરલ અસેંબલીમાં મોદીનુ ભાષણ આની જ આસપાસ થવાનુ છે. અમેરિકામાં ભારતના રાજદૂત એસ જયશંકર 8 જૂનના રોજ દેશ પરત ફરી રહ્યા છે અને તેઓ મોદીને મળીને બંને દેશોની વચ્ચેના સંબંધોની માહિતી આપશે. જ્યાર પછી આગળની રણનીતિ નક્કી થશે.