ગોમાંસ ખાવાની અફવાહ પર નોએડા પાએ આવેલ બિસાડા ગામમાં એક વડીલની હત્યા પર રાજકારણ ગરમાયુ છે. હવે આ રાજકારણમાં આમ આદમી પાર્ટી પણ કુદી પડી છે. આજે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ દાદરીના બિસાડા ગામ જઈ રહ્યા હતા. અરવિંદ સાથે પાર્ટી નેતા સંજય સિંહ આશુતોષ અને કુમાર વિશ્વાસ પણ હતા. પણ સરકારે તેમને અખલાકના ઘરે જતા પહેલા જ રોકી લીધા અને એનટીપીસી ગેસ્ટમાં મુક્યા છે.