પોલીસથી બચવા આતંકવાદીઓ મસ્જીદમાં ભરાયા

ભાષા

સોમવાર, 31 માર્ચ 2008 (20:14 IST)
શ્રીનગર. બાંદીપુરા જિલ્લામાં આજે પોલીસ તથા સુરક્ષા જવાનોથી બચવા માટે બે આતંકવાદીઓ એક મસ્જિદમાં છુપાઈ ગયા હતા. તેઓને આબાદ ઝડપી પાડવા માટે સુરક્ષા દળોએ મસ્જીદની ઘેરાબંધી કરી દીધી છે.

પોલીસે જણાવ્યુ હતુ કે, 57ની રાષ્ટ્રીય રાઈફલ્સના જવાનો અને સીઆરપીએફની 92મી બટાલીયન સાથે મળીને આતંકવાદીઓને ખદેડવા માટે પચપન વિસ્તારોમાં છાપા માર્યા હતા. સુરક્ષા જવાનોને જોઈને આતંકવાદીઓએ અંધાધુંધ ગોળીબાર શરૂ કરી દીધો હતો.

પરંતુ જવાનોએ વળતું ફાયરિંગ શરૂ કરી દેતાં આતંકવાદીઓ ગભરાયા હતા અને બચવા માટે એક મસ્જીદમાં ભરાઈ ગયા હતા. તેઓને આબાદ ઝડપી પાડવા માટે પોલીસે મસ્જીદને ચારેબાજુથી ઘેરી લીધી છે.

વેબદુનિયા પર વાંચો