પાકિસ્તાનને બતાવી દો દિલ્હીમાં મર્દોનું શાસન છે - ઉદ્ધવ ઠાકરે

સોમવાર, 25 ઑગસ્ટ 2014 (11:52 IST)
પાકિસ્તાન તરફથી સતત સીઝફાયરનું ઉલ્લંઘન થયુ છે. જેને લઈને શિવસેના પ્રમુખ ઉદ્ધવ ઠાકરેએ મુખપત્ર સામનામાં સંપાદકીય લેખમાં અપીલ કરી છે કે પાકિસ્તાન સ્સામે ભારતે કડક કાર્યવાહી કરવી જોઈએ. 
 
ઉદ્ધવ ઠાકરેએ લખ્યુ છે કે ભારત સરકારે પાકિસ્તાન સાથે ચર્ચા ભલે બંધ કરી દીદી છે.  પણ તેનાથી કશુ જ થશે નહી.  પાકિસ્તાનને તેની સીમામા ધુસીને સ્વાદ ચખાડવો જોઈએ. 
 
સામનામાં લખાયુ છે કે શરીફ નરેન્દ્ર મોદીની શપથ ગ્રહણ સમારંભમાં હાજર રહ્યા. તેમની માટે સ્વાદિષ્ટ ભોજનની પણ તૈયારીઓ કરાઈ હતી. શરીફે ભોજનનો સ્વાદ પણ લીધો. પણ જેનુ નમક તેમણે ખાધુ તેના પ્રત્યે ઈમાનદારી ન દાખવી. 
 
સામનામાં લખાયુ છે કે પાકિસ્તાન એક મહિનામાં 25 વખત સીઝફાયરનું ઉલ્લંઘન કર્યુ. આપણે બુઝાયેલા ફટાકડાની જેમ ઠંડા કેમ ?  ઉદ્ધવે નરેન્દ્ર મોદીને સંબોધિત કરતા લખ્યુ છે કે હવે દિલ્હીમાં મર્દોનું રાજ આવી ગયુ છે. તો જનતા નક્કર જવાબની અપેક્ષા રાખી રહી છે. 

વેબદુનિયા પર વાંચો