પાંચવર્ષમાં વિમાનની સંખ્યા બેવડી થશે

ભાષા

ગુરુવાર, 28 ફેબ્રુઆરી 2008 (13:24 IST)
નવી દિલ્હી(ભાષા) મુસાફરોની સંખ્યામાં વધારો થતાં ઉત્સાહિત થયેલી દેશની વિમાન કંપનીઓ દ્વારા આગામી પાંચવર્ષમાં વિમાનોની સંખ્યા બેવડી કરવામાં આવશે તેવુ સૂત્રોમાંથી જાણવા મળ્યુ હતુ.

આર્થીક સમીક્ષામાં જણાવાયુ છે કે, દેશની અધિકૃત વિમાન કંપનીઓ દ્વારા આવનારા વર્ષોમાં 250 વિમાનો વધારવામાં આવશે. આર્થીક સમિક્ષા મુજબ, વર્તમાનમાં 14 કંપનીઓ પાસે 334 વિમાન છે. વર્ષ 2007 દરમિયાન આ કંપનીઓને 72 વિમાનો આયાત કરવાની અનુમતી આપી દેવામાં આવી છે. ઉપરાંત નાગર વિમાન મંત્રાલયે કુલ 496 વિમાનોને આયાત કરવા પર મંજુરી આપી દીધી છે.

વેબદુનિયા પર વાંચો