નીતીશ કુમાર સંઘ પરિવારનો 'મિટ્ટૂ' છે - લાલુ યાદવ

બુધવાર, 15 મે 2013 (14:06 IST)
.
P.R
પટનામાં સત્તા પરિવર્તનને લઈને થઈ રહેલ પરિવર્તન રેલીને લઈને આરજેડી પ્રમુખ લાલૂ યાદવ ખૂબ જ ઉત્સાહિત લાગી રહ્યા હતા. લાલૂનુ કહેવુ છે કે હવે નીતિશ કુમારના વિદાયનો સમય આવી ગયો છે. લાલૂએ કહ્યુ કે નીતિશ કુમાર આરએસએસનો મિટ્ટુ(પોપટ) છે. તેમણે કહ્યુ કે તેમનો પુત્ર લાલટેન ઉઠાવશે પણ નીતિશ એ બતાવે કે તેમનો પુત્ર શુ કરશે. લાલૂના પુત્ર તેજપ્રતાપનું કહેવુ છે કે તેઓ પણ પોતાના પિતા સાથે મળીને યુવાઓન એ એકત્ર કરવામાં મુખ્ય ભૂમિકા ભજવશે.

લાલૂએ કહ્યુ કે નીતીશની સરકારનો વિદાયનો સમય આવી ગયો છે. લાલૂએ એક પ્રશ્નના જવાબમાં કહ્યુ કે નીતિશ કુમાર પોતાના પુત્ર વિશે જણાવે કે એ ક્યા છે. મારો પુત્ર લાલટેન પકડશે. બિહારના મુખ્યમંત્રી નીતીશ કુમારની અધિકાર રૈલી પછી હવે બિહારના પૂર્વ મુખ્યમંત્રી અને આરજેડી અધ્યક્ષ લાલૂ યાદવ પટનામાં પરિવર્તન રેલી કરી રહ્યા છે. ખાસ વાત એ છે કે આ રેલીમાં તેમના બંને પુત્ર તેજપ્રતાપ અને તેજસ્વી આગળ પડતો ભાગ લઈ રહ્યા છે. કહેવાય રહ્યુ છે કે લાલૂ આ રેલી દ્વારા પોતાના પુત્રોને રાજનીતિના મેદાનમાં ઉતારવાની તૈયારીમાં છે.

વેબદુનિયા પર વાંચો