નારાયણ સાંઈના સાધકે સૂરતના ડીએસપીને આપી ધમકી

સોમવાર, 21 ઑક્ટોબર 2013 (17:47 IST)
P.R
સૂરતની ડીસીપી શોભા ભૂતડાને બે-ત્રણ દિવસથી નારાયણ સાંઈના એક કથિત સાઘક તરફથી જીવથી મારવાની ધમકી મળી રહી છે.

શોભાએ જ એ બે બહેનોનો કેસ અને નિવેદન નોંધ્યા હતા જેણે આસારામ અને નારાયણ સાંઈ પર બળાત્કારનો આરોપ લગાવ્યો હતો. ધમકીમાં ડીસીપીને કહેવામાં આવ્યુ હતુ કે તેઓ નારાયણ સાંઈને શોધવા બંધ કરે નહી તો તેમને મારી નાખવામાં આવશે. પોલીસના જણાવ્યા મુજબ નારાયણ સાંઈ વિરુદ્ધ ચાલી રહેલ શોધખોળ રોકવા માટે આ ધમકી આપવામાં આવી છે.

પોલીસે જણાવ્યુ છે કે મોબઈલ નંબર ટ્રેસ કર્યુ છે, આ મોબાઈલ નંબર મધ્યપ્રદેશના અશોક નગર જીલ્લાના કોઈ દશરથ સિંહ નામ પર રજીસ્ટર્ડ છે.

વેબદુનિયા પર વાંચો