જયંતીએ કહ્યુ કે તેમને અનેક નવા પ્રોજેક્ટૅ રાહુલ ગાંધીના કહેવા પર રોકવા પડ્યા. જ્યારે કે તેમના કેબિનેટના સહયોગી તેમને મંજુરી આપવાની માંગ કરી રહ્યા હતા. આ સંબંધમાં તે 12:30 વાગ્યે ચેન્નઈમાં પ્રેસ કોંફ્રેંસ કરશે. એવુ કહેવાય રહ્યુ છે કે તે પાર્ટીમાંથી રાજીનામુ આપી શકે છે. પણ હાલ તેમની કોઈ પાર્ટીમાં જવાની યોજના નથી.
ઉલ્લેખનીય છે કે આ મામલાને બીજેપીએ હાથોહાથ લીધો છે. કેન્દ્રીય નાણાકીય મંત્રી અરુણ જેટલીએ કહ્યુ કે છેવટે અફવાઓ સાચી પડી. તેમણે કહ્યુ કે પ્રોજેક્ટમાં મોડુ થવુ અર્થવ્યવસ્થા સાથે રમત છે. અને પર્યાવરણ મંત્રાલયે આ પ્રોજેક્ટને લીલી ઝંડી આપવા પર ફરી વિચાર કરવો જોઈએ. તેના થોડીવાર પછી જ પર્યાવરણ મંત્રી પ્રકાશ જાવડેકરે નટરાજનના આરોપોની તપાસ કરવાનુ એલાન કર્યુ.
નવેમ્બરમાં જયંતીએ સોનિયા ગાંધીને કડક શબ્દોમાં એક ચિઠ્ઠી લખી હતી. આ ચિઠ્ઠીમાં તેમણે આરોપ લગાવ્યો કે પાર્ટીના કેટલાક લોકો મીડિયા દ્વારા તેમના વિરુદ્ધ દૂષ્પ્રચાર કરી રહ્યા છે. નટરાજને મુજબ આ દુષ્પ્રચાર ત્યારે શરૂ થયો જ્યારે રાહુલ ગાંધી પોતાના પર્યાવરણના પક્ષમાં અપનાવેલ વલણ છોડીને કોર્પોરેટ પ્રેમી થઈ ગયા.