દુર્ગા પૂજા પર 120 વિશેષ રેલગાડી

ભાષા

સોમવાર, 20 જુલાઈ 2009 (09:47 IST)
રેલમંત્રી મમતા બેનર્જીએ રવિવારે જાહેરાત કરી કે દુર્ગા પૂજાના પ્રસંગે યાત્રીઓની ભારે ભીડને જોતા 120 વિશેષ ટ્રેન ચલાવવામાં આવશે.

તેમણે સ્ત્રીઓને માટે એક વિશેષ ઈએમયૂ ટ્રેનને લીલી ઝંડી બતાવ્યા પછી તેની જાહેરાત કરી. તેણે કહ્યુ કે આ વખતે પૂજાના પ્રસંગે યાત્રાની તૈયારી શરૂ કરી દો. ટિકીટોની બુકિંગ શરૂ કરી દો. અમે તમારે માટે 120 પૂજા સ્પેશ્યલ ટ્રેનો ચલાવી રહ્યા છે.

તેણે પોતાના રાજ્યમાં પર્યટનને પ્રોત્સાહન આપવાનો પ્રયત્ન કરતા પૂર્વી મિદનાપુર જિલ્લામાં મોદારમોનીની પાસે નવા રેલવે સ્ટેશન જીનનપુરની જાહેરાત કરી, જે બંગાળી પર્યટકોને પસંદગીનુ સ્થળ છે.

વેબદુનિયા પર વાંચો