ગયા વર્ષે દિલ્હી વિધાનસભા ચૂંટણી પછી દિલ્હીમાં સરકાર બનાવનારી આમ આદમી પાર્ટીએ પોતાનો નવો મેનિફેસ્ટો રજુ કરી દીધો છે. મેનિફેસ્ટોમાં અનેક લોભાવનારા વચનો આપવામાં આવ્યા છે. જેમા દિલ્હીવાસીઓ માટે વીજળી, પાણી અને સુરક્ષા પર વધુ ધ્યાન આપ્યુ છે. આ અવસર પર આપ ના તમામ મોટા નેતાઓની સાથે પાર્ટી સંયોજક અરવિંદ કેજરીવાલ પણ હાજર હતા.
તેમણે કહ્યુ કે મેનિફેસ્ટો અમારા માટે ધર્મગ્રંથ છે. એવી દિલ્હી બનાવીશુ જેના પર સૌ ગર્વ કરી શકીએ. પર્યાવરણ, મહિલાઓ, ઓટોવાળા, ટ્રેફિક, ઈકોનોમી... બધુ અમારા મેનિફેસ્ટોમાં છે. જેથી દિલ્હીને વધુ સારી બનાવી શકાય. દિલ્હીને વેપાર. શિક્ષા અને પર્યટનનુ કેન્દ્ર બનાવીશુ. આશીષ ખેતાનની આગેવાનીમાં 4 મહિનાની મહેનતથી આ જાહેરાત પત્ર બનાવવામાં આવી છે. તેમા દિલ્હીથી લઈને તમારા અને તમારા સ્વપ્ન છે.