દિલ્હી ગેંગરેપ પીડિતાનુ શનિવારે વહેલી સવારે સવા બે વાગ્યે સિંગાપુરની હોસ્પિટલમાં મોત થઈ ગયુ. પહેલા દિલ્હીના સફદરગંજ હોસ્પિટલમાં અને પછી સિંગાપુરના માઉંટ એલિજાબેથ હોસ્પિટલમાં ડોક્ટરોને બચાવવાની ભરપૂર પ્રયત્ન કર્યો. ક્ષણ-ક્ષણના સમાચાર પર એક નજર :
- જયપુરના સ્ટેચ્યૂ સર્કલમાં સેંકડો શાળાના વિદ્યાર્થીઓ અને સ્વયંસેવી સંગઠનોએ મૌન રાખીને શ્રદ્ધાંજલિ અર્પિત કરી. - એયર ઈંડિયાનું વિમાન સિંગાપુર પહોંચ્યુ. - કેન્દ્રીય મંત્રી પ્રફુલ્લ પટેલે કહ્યુ, રાજકીય સન્માનની સાથે થાય પીડિતાનો અંતિમ સંસ્કાર - હૈદરાબાદના બરકતપુરા ચમન વિસ્તારમાં સાંજે છ વાગ્યે કેંડલ લઈટ માર્ચ - લોકોનો આક્રોશ જોઈને પરત ફર્યા દિલ્હીના મુખ્યમંત્રી - જંતર મંતર પહોંચી મ્મુખ્યમંત્રી શીલા દિક્ષિત, પ્રદર્શનકારીઓએ ઘેરીને નારા લગાવ્યા - ત્રણ જાન્યુઆરી સુધી મુદ્દા અંગે ચાર્જશીટ દાખલ કરી દેશે પોલીસ - દિલ્હીમાં વધુ એક પોસ્ટમોર્ટમની શક્યતા - પોલીસ કમિશ્નર નીરજ કુમારે કહ્યુ, આરોપીઓ પર હત્યાનો કેસ નોંધાયો - જંતર-મંતર પર ભારે ભીડ જમા, શાંતિપૂર્વક શ્રદ્ધાંજલિ આપી રહ્યા છે લોકો - સોશિયલ નેટવર્કિંગ સાઈટ્સ પર શોક સંવેદનાનો વરસાદ - અમદાવાદ, જયપુર, કલકત્તા સહિત ઘણા મોટા શહેરોમાં પીડિતાના મોતથી લોકો દુ:ખી - શિવાજી ચોકમાં બાંદ્રા સ્ટેંડ પર ચાર વાગ્યે પીડિતાને મુંબઈવાસીઓની શ્રદ્ધાંજલિ - દિલ્હી ગેંગરેપ પીડિતાના મોતથી બોલીવુડ દુ:ખી - લખનૌમાં પણ શાંતિપૂર્ણ રૂપે પ્રદર્શન ચાલુ, લોકોએ ગેંગરેપ પીડિતાને શ્રદ્ધાંજલિ આપી. - એબીવીપી આ વર્ષે નવા વર્ષનો જશ્ન નહી મનાવે. - શીલા દિક્ષિતે ગૃહમંત્રીને પ્રદર્શનકારીઓને ઈંડિયા ગેટ જવાની મંજૂરી આપવાની માંગ કરી. - દેશમાં ઘણી જગ્યાએ શાંતિપૂર્ણ પ્રદર્શન - જો કડક કાયદો બને તો તેમની પાર્ટી પણ સરકારની સાથે છે - લાલૂ બોલ્યા દેશની પુત્રીઓ સાથે થઈ રહેલ બળાત્કારની ઘટના શરમજનક - રાજદ અધ્યક્ષ લાલૂ પ્રસાદ યાદવે સામૂહિક બળાત્કારનો ભોગ બનેલ વિદ્યાર્થીના મોત પર ઊંડુ દુ:ખ વ્યક્ત કર્યુ. - રસ્તાઓ પર મુક્યા પોસ્ટર, નારા નહી લગાવ્યા. - જંતર-મંતર પર એકત્ર થયા પ્રદર્શનકારી - સોનિયા સાથે જોડાયેલા સૂત્રોએ જણાવ્યુ કે યુવતીના મોતના સમાચારથી કોંગ્રેસ અધ્યક્ષ આધાતમાં છે અને ખૂબ જ દુ:ખી છે. - ગૃહમંત્રી સુશીલ કુમાર શિંદેએ પીડિતાના મોત પર શોક પ્રગટ કર્યો. શાંતિ કાયમ રાખવાની અપીલ કરતા તેમણે કહ્યુ કે સરકાર સંવેદનશીલ, કાયદામાં ફેરફાર કરશે. - ગૃહવિભાગ અને દિલ્હી પોલીસન અધિકારી પણ વિમાનમાં - સવારે પોણા દસ વાગ્યે સિંગાપુર માટે રવાના થયુ વિમાન. - દિલ્હી પોલીસે આપી રામલીલા મેદાન, જંતર-મંતર પર પ્રદર્શનની અનુમતિ. - રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જીએ ચાલતી બસમાં સામૂહિક બળાત્કારનો ભોગ બનેલ 23 વર્ષીય યુવતીના નિધન પર શોક વ્યક્ત કર્યો. - સિંહે કહ્યુ કે સરકાર એવા પગલા ઉઠાવશે જેથી ફરી આવી ઘટના ન બને. - સરકાર કઠોર પગલા ઉઠાવીને આરોપીઓને કડકમાં કડક સજા આપશે. - ગૃહ રાજ્યમંત્રી આરપીએન સિંહે કહ્યુ કે આ દુ:ખભર્યા સમાચાર છે. - શીલા દિક્ષિતે કહ્યુ કે બહાદુર યુવતીના મૃત્યુ થવુ ખૂબ જ દુ:ખદાયક છે. આ આપણા સૌ માટે એવી ક્ષણ છે જ્યા આપણને શરમ પણ આવે છે અને દુ:ખ પણ થાય છે. પીડિતાના શબને ભારત લાવવામાં આવશે, બપોરે 4 વાગ્યા સુધી આવી જશે શબ. - ડોક્ટરોએ બચાવવાના તમામ પ્રયત્નો કર્યા, ધણા અંગો નિષ્ક્રિય થઈ ગયા હતા. - સિંગાપુરમાં ભારતીય દૂતાવાસના અધિકારીએ કહ્યુ કે શુક્રવારે પીડિતાની હાલત વધુ બગડી ગઈ હતી. - પ્રધાનમંત્રી મનમોહન સિંહે પીડિતાના મોત પર શોક વ્યક્ત કરતા તેને શ્રદ્ધાંજલિ આપી. - ઈંડિયા ગેટની આસપાસ 10 મેટ્રો સ્ટેશન બંધ - દિલ્હી પોલીસે કહ્યુ કે રાજપથ, વિજય ચોક સહિત ઈંડિયા ગેટ તરફ જનારા બધા રસ્તા બંધ. - દિલ્હીમાં પોલીસની કડક સુરક્ષા વ્યવસ્થા - દિલ્હી પોલીસે આરોપીઓ પર હત્યાની ધારા પણ લગાવી - પીડિતાનુ શબ ભારત લાવવાની તૈયારી. ભારતીય દૂતાવાસના અધિકારી સાથે. - ગેંગરેપ પીડિતાનું સિંગાપુરના માઉંટ એલિજાબેથ હોસ્પિટલમાં નિધન.