કોંગ્રેસે આજે જ્યા એકબાજુ દિલ્હીમાં ભૂમિ અધિગ્રહણ બિલ પર ખેડૂતોની રેલીનુ આયોજન કરી કેન્દ્ર સરકાર વિરુદ્ધ બ્રહ્માસ્ત્ર ચલાવવાની તૈયારી કરી છે તો બીજી બાજુ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પોતાની પાર્ટીના સાંસદોને લોકો સાથે સીધો સંવાદનો પાઠ ભણાવી રહ્યા છે. મોદીએ ભાજપા સાંસદોની એકદિવસીય કાર્યશાળાને સંબોધિત કરતા કહ્યુ કે તેમની પાર્ટી પર દબાણ બનાવવા માટે તેઓ મીડિયાના આભારી છે.