...તો હું પ્રધાનમંત્રી પદ માટે યોગ્ય:પાસવાન

ભાષા

રવિવાર, 15 માર્ચ 2009 (11:46 IST)
ેન્દ્રીય મંત્રી અને લોકશક્તિ માર્ટી (લોજપા)ના અધ્યક્ષ રામ વિલાસ પાસવાને આજે જણાવ્યું કે જો કોઈ દલિતને જ પ્રધાનમંત્રી બનાવવા હોય તો આ પદ માટે હુ સર્વશ્રેષ્ઠ વ્યક્તિ છું.

એક વાતચીત દરમિયાન પાસવાનને પુછવમાં આવ્યું કે માયાવતીને દેશની પહેલી દલિત પ્રધાનમંત્રીના રૂપમાં રજુ કરવામાં આવે તો ? આ અંગે તેમણે કહ્યું કે જો કોઈ દલિત નેતાને જ પ્રધાનમંત્રી બનાવવો હોય તો તેને માટે માયાવતીની જ પસંદગી કેમ કરાઈ રહી છે? રામ વિલાસ પાસવાનની કેમ નહિ?

લોજપાના અધ્યક્ષે દાવો કર્યો કે તેમણે પોતાની લાંબી રાજનીતિક યાત્રામાં કેટલાયે મંત્રાલયોના કામકાજ સંભાળ્યા છે અને તેને ખુબ જ સારી રીતે અંજામ આપ્યો છે.

વેબદુનિયા પર વાંચો