તો રાજનીતિ છોડી દઈશ - અડવાણી

ભાષા

શનિવાર, 25 એપ્રિલ 2009 (14:51 IST)
એનડીએનાં વડાપ્રધાન પદનાં ઉમેદવાર લાલકૃષ્ણ અડવાણીએ સંકેત આપ્યો છે કે તે જો વડાપ્રધાન ન બની શક્યા તો રાજનીતિ છોડી શકે છે.

અડવાણીએ એક ઈન્ટરવ્યુમાં આવો સંકેત આપ્યો છે. અડવાણીએ કહ્યું કે તેમણે પહેલા પણ રાજનીતિ છોડવાની યોજના બનાવી હતી. જો એવી સ્થિતિ ઉત્પન્ન થઈ તો તે ફરી એક નિર્ણય લેશે.

અડવાણીએ કહ્યું કે નવેમ્બર 2007માં મને અનુભવ થયો હતો કે 80 વર્ષની ઉંમરે રાજનીતિ છોડી દેવી જોઈએ. જો એવી સ્થિતિ ફરી ઉત્પન્ન થઈ તો હું આ નિર્ણય ફરી લઈશ. એ પુછવા પર કે જો તે વડાપ્રધાન ન બની શક્યાં તો પાર્ટીમાં તેમની ભૂમિકા શું રહેશે તો તેમણે કહ્યું કે, 'એ તો પાર્ટી જ નક્કી કરશે.'

વેબદુનિયા પર વાંચો