ટ્રિપલ મર્ડર કેસની મડાગાંઠ ઉકેલાઈ

બુધવાર, 30 એપ્રિલ 2008 (11:34 IST)
ઉત્તર પશ્ચિમ દિલ્હીમાં એક અઠવાડિયા પહેલા બે વ્યાપારીઓ અને તેમનાં ડ્રાયવરની હત્યાનાં કેસમાં પોલીસે પાંચ લોકોની ધરપકડ કરી કેસની મડાગાંઠને ઉકેલી છે. પકડવામાં આવેલા વ્યક્તિઓમાંથી બે મૃતકો સાથે કામ કરતાં હતાં.

21 એપ્રિલે સરસ્વતી વિહારમાં પગરખાની ફેક્ટ્રીનાં માલિક રધુબીર મિત્તલ અને તેમનાં ભત્રિજા પવનની કાર પર હુમલો કરી કેટલાક અજાણ્યા શખ્શોએ ગોળીબાર કર્યો હતો.

આ મામલે પોલીસે એજાજ અહમદ, અફજલ, ઝહીર અહમદ, મનોજ અને નેત્રપાલની ધરપકડ કરી છે. નેત્રપાલ પહેલા રઘુબીર સાથે કામ કરતો હતો અને તાજેતરમાં તે તેમનાં પુત્ર સંજીવ મિત્તલ સાથે કામ કરી રહ્યો હતો.

વેબદુનિયા પર વાંચો