ચિરંજીવીના કાફલા પર પથ્થરમારો

વાર્તા

મંગળવાર, 31 માર્ચ 2009 (09:55 IST)
પ્રજા રાજ્યમ પાર્ટી (પીઆરપી)ના અધ્યક્ષ અને ફિલ્મી જીવન પછી રાજનીતિક પાત્ર ભજવનારા ચિરંજીવીના 'પ્રચાર રથ' કાફલા પર સોમવારે નશામાં ધૂત પાર્ટીના જ એક કાર્યકર્તાએ પથરાવ કર્યો. જો કે આ ઘટનામાં કોઈને પણ વધુ વાગ્યુ નથી.

પોલીસે જણાવ્યુ કે પથ્થરમારામાં એક સુરક્ષા કર્મચારીઓને થોડુ વાગ્યુ છે. અહીં હાજર લોકોએ યુવકને પકડીને પોલીસને સોંપી દીધો.

તેની ઓળખ વી. નાગેશ્વરા રાવના રૂપમાં થઈ છે. ઘટના સમયે એ નશામાં હતો. ઘાયલ સુરક્ષા કર્મચારીને સારવાર માટે નજીકની હોસ્પિતલમાં દાખલ કરવામાં આવ્યો છે.

વેબદુનિયા પર વાંચો