ચાલતી ટ્રેનમાંથી પડતા 6 ના મોત

ભાષા

મંગળવાર, 20 જાન્યુઆરી 2009 (09:41 IST)
પ્રતાપગઢની પાસે છિલબિલા ટ્રેનની છત પરથી પડી જવાથી 6 લોકોના મોત થઈ ગયા અને લગભગ 200 ઘાયલ થઈ ગયા.

સ્ટેશન અધિકારી (જીઆરપી)અભિમન્યુ ધર દ્વિવેદીએ જણાવ્યુ કે શનિવારે આ દુર્ઘટના તે સમયે થઈ જ્યારે સરયૂ એક્સપ્રેસની છત પર બેસેલા લોકો ઝાડની ડાળખી સાથે અઠડાઈ ગયા.

તેમણે જણાવ્યુ કે દુર્ઘટનામાં 6 લોકોના મૃત્યુ થઈ ગયા અને 200 અન્ય ઘાયલ થઈ ગયા છે. ઘાયલોને નજીકના હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.

દ્વિવેદીએ કહ્યુ કે યાત્રિઓમાં મોટાભાગના અહી સેનાના ભરતી અભિયાનમાં જોડાવવા જઈ રહેલા વિદ્યાર્થીઓ હતા, જે ડબ્બામાં જગ્યા ન મળવાને કારણે છત પર બેસ્યા હતા.

વેબદુનિયા પર વાંચો