ગૃહ મંત્રાલયે ગુજરાત પર ધ્યાન કેન્દ્રિત કર્યું

ભાષા

મંગળવાર, 30 સપ્ટેમ્બર 2008 (11:49 IST)
ગુજરાતનાં સાબરકાંઠાનાં મોડાસા શહેરમાં સોમવાર રાત્રે થયેલા બ્લાસ્ટ બાદ કેન્દ્રીય ગૃહ મંત્રાલય રાજ્ય પર નજર રાખી રહ્યું છે.

ઉલ્લેખનીય છે કે આ વિસ્ફોટમાં એક વ્યક્તિનું મોત થયું હતું, જ્યારે છથી વધુ લોકો ઘાયલ થયા હતાં.

ગૃહ મંત્રાલયનાં પ્રવક્તાનાં જણાવ્યા મુજબ ગૃહ સચિવ મધુકર ગુપ્તાએ ગુજરાત સરકારનાં વરિષ્ઠ અધિકારીઓ તથા પોલીસ અધિકારીઓનાં સંપર્કમાં છે. મંત્રાલયે લોકોને શાંતિ બનાવી રાખવા અને અફવાઓથી દૂર રહેવા જણાવ્યું છે.

વેબદુનિયા પર વાંચો