ગુજરાત 2002 રમખાણમાં સુપ્રીમ કોર્ટે મોદીને આપી રાહત

શનિવાર, 12 એપ્રિલ 2014 (10:03 IST)
ભાજપના પીએમ પદના ઉમેદવાર અને ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીને માટે આજનો દિવસ ખૂબ જ મોટી રાહત લઈને આવ્યો છે. સુપ્રીમ કોર્ટે 2002ના ગુજરાત રમખાણમાં નરેન્દ્ર મોદીને ક્લીન ચીટ આપનારી એસઆઈટીની તપાસ પર સવાલ ઉભા કરનારી એક અરજી પર સુનાવણી કરવાનો ઈન્કાર કરી કાઢ્યો છે.
 
સુપ્રીમ કોર્ટે એસઆઈટીને ફરીથી ગોઠવણ કરીને ફરી તપાસ કરનારી આ અરજીને ફગાવી દીધી છે અને ટિપ્પણી કરી છે કે આ મામલામાં એસઆઈટીની ફરીથી ઘડવાની કોઈ જરૂર નથી.

વેબદુનિયા પર વાંચો