સૂત્રોનુ માનીએ તો હજુ સુધી અરવિંદ કેજરીવાલને ગણતંત્ર દિવસની પરેડ માટે આમંત્રણ નથી મળ્યુ. જેને લઈને તેઓ ખૂબ નારાજ છે. ગણતંત્ર દિવસની પરેડમાં આ વખતે અમેરિકી રાષ્ટ્રપતિ બરાક ઓબામા મુખ્ય અતિથિ છે. આવુ પહેલીવાર બન્યુ છે જ્યારે કોઈ અમેરિકાના રાષ્ટ્રપતિ ગણતંત્ર દિવસની પરેડમાં મુખ્ય અતિથિ હશે. જેને ધ્યાનમાં રાખતા દિલ્હી સહિત આખા દેશમાં સુરક્ષાની વિશેષ વ્યવસ્થા કરવામાં આવી છે. દિલ્હીમાં 7 ફેબ્રુઆરીને વિધાનસભા ચૂંટણી થવાની છે. તેથી આ મુદ્દો રાજનીતિક રંગ લેશે તો કોઈ હેરાનગીની વાત નથી. ઉલ્લેખનીય છે કે ગયા વર્ષે કેજરીવાલ મુખ્યમંત્રી રહેતા 26 જાન્યુઆરીની આસપાસ જ ઘરણા પર બેસી ગયા હતા.