ક્રિસમસની રજાઓ રદ્દ કરવા મુદ્દે સ્મૃતિ ઈરાનીનું નિવેદન

સોમવાર, 15 ડિસેમ્બર 2014 (12:28 IST)
ક્રિસમસના અવસર પર રજાઓને રદ્દ કરવા પર સ્મૃતિ ઈરાનીએ મીડિયામાં આવેલ એ સમાચારોનુ ખંડન કર્યુ છે. જેમા કહેવામાં આવ્યુ છે કે સરકાર ક્રિસમસના પ્રસંગ પર રજાઓ રદ્દ કરવાની છે.  
 
ઉલ્લેખનીય છે કે આ પહેલા સમાચાર આવ્યા હતા કે ક્રિસમસના દિવસે સીબીએસઈ તરફથી માન્યતા પ્રાપ્ત શાળાઓ ખુલી રહેશે.  કેન્દ્રીય માનવ સંસાધન મંત્રાલય ઈચ્છે છે કે પૂર્વ પ્રધાનમંત્રી અટલ બિહારી વાજપેયી અને બનારસ હિન્દુ યુનિવર્સિટીના સંસ્થાપક મદન મોહલ માલવીયનો જન્મદિવસ 25 ડિસેમ્બરના રોજ સુશાસન દિવસના રૂપમાં મનાવવામાં આવે.  સરકાર ઈચ્છે છે કે આ પ્રસંગ પર સીબીએસઈ શાળાઓમા નિબંધ પ્રતિયોગિતા અને આ પ્રકારના બીજા આયોજન કરવામાં આવે જેથી બાળકોની ભાગીદારી વધે. 
 

વેબદુનિયા પર વાંચો