ઉલ્લેખનીય છે કે આ પહેલા સમાચાર આવ્યા હતા કે ક્રિસમસના દિવસે સીબીએસઈ તરફથી માન્યતા પ્રાપ્ત શાળાઓ ખુલી રહેશે. કેન્દ્રીય માનવ સંસાધન મંત્રાલય ઈચ્છે છે કે પૂર્વ પ્રધાનમંત્રી અટલ બિહારી વાજપેયી અને બનારસ હિન્દુ યુનિવર્સિટીના સંસ્થાપક મદન મોહલ માલવીયનો જન્મદિવસ 25 ડિસેમ્બરના રોજ સુશાસન દિવસના રૂપમાં મનાવવામાં આવે. સરકાર ઈચ્છે છે કે આ પ્રસંગ પર સીબીએસઈ શાળાઓમા નિબંધ પ્રતિયોગિતા અને આ પ્રકારના બીજા આયોજન કરવામાં આવે જેથી બાળકોની ભાગીદારી વધે.