કોલસાની ખાણોની ફાળવણી અંગે સુપ્રીમ કોર્ટમાં આજે સુનાવણી કરવામાં આવશે. સુપ્રીમ કોર્ટમાં રજુ કરવામાં આવેલા સીબીઆઈના સોગંધનામા અંગે આજે સુનાવણી કરવામાં આવશે. આ પહેલા સીબીઆઈએ કોલસાની ખાણોના મામલે સુપ્રીમ કોર્ટ સમક્ષ પોતાનો સ્ટેટસ રિપોર્ટ રજુ કર્યો છે જેમાં મૂળ તપાસની વિગતો અને તેમાં કરવામાં આવેલા ફેરફારો સામેલ છે. સુપ્રીમ કોર્ટ આ મામલે આજે સુનાવણી કરશે.
સંસદમાં સુષમાએ કહ્યુ
- યુપીએ સરકાર અત્યાર સુધીની સૌથી ભ્રષ્ટ સરકાર - દરેક નવુ કૌભાંડ પહેલા કરતા મોટુ - કૌભાડોને બહાર લાવવા બદલ અમે બિનજવાબદાર કેવી રીતે - યુપીએ સરકારના રાજમાં એક પછી એક રેકોર્ડ તોડ કૌભાંડ - સરકારને સુપ્રીમ કોર્ટ તરફથી કડક શબ્દોમાં ફટકાર - ભ્રષ્ટ સરકારને કારણે વારંવાર સંસદ ઠપ થઈ રહી છે - કૌભાંડોમાંથી બચવા માંગે છે સરકાર - ભાજપાનુ લોકસભામાંથી વોકઆઉટ
સુપ્રીમ કોર્ટની કડક શબ્દોમાં ટિપ્પણી
- સીબીઆઈએ સરકાર પાસેથી આદેશ લેવાની જરૂર નથી - સીબીઆઈની સ્વતંત્રતાની દરકાર રાખવામાં આવે. જેથી લોકોને તેમના પર વિશ્વાસ રહે
- સીબીઆઈ પર કોર્ટનુ ચુસ્ત વલણ, સીબીઆઈને રાજનીતિક ફંદામાંથી મુક્ત કરવાનું છે - સીબીઆઈને પ્રશ્ન, કોર્ટને અંધારામાં કેમ મુક્યુ - કોર્ટે કહ્યુ, સરકારને રિપોર્ટની માહિતી આપવાથી કેસ પર અસર - વિપક્ષી સભ્યોના હંગામાને કારને રાજ્યસભામાં પણ પ્રશ્નકાળ સ્થગિત - કોલસા કૌભાંડ પર સંસદમાં વિપક્ષે કર્યો હંગામો - કોર્ટે સોગંધનામા પર નારાજગી બતાવી - સીબીઆઈ ડાયરેક્ટર, આટૌની જનરલ, સોલિસિટર જનરલ પણ કોર્ટમાં - સુપ્રીમ કોર્ટે સીબીઆઈની સ્ટેટસ રિપોર્ટ પર સુનાવણી શરૂ - ભાજપાએ ફરીથી પ્રધાનમંત્રી અને કાયદા મંત્રીનુ રાજીનામુ માંગ્યુ - સૂત્રોના મુજબ સરકારે માંગ્યુ અતિરિક્ત સોલિસિટૃર જનરલ હરીન રાવળનુ રાજીનામુ - અતિરિક્ત સોલિસિટૃર જનરલ હરીન રાવળે દાવો કર્યો કે આ પુરા મુદ્દામાં તેમને 'બલિનો બકરો' બનવવામાં આવ્યો છે. - સોગંધનામામાં સીબીઆઈએ કહ્યુ કે પહેલ અકાયદા મંત્રી અશ્વીની કુમાર અને પછી પીએમઓ અને કોલસા મંત્રાલયના ઓફિસરોએ સીબીઆઈ સાથે મળીને સ્ટટસ રિપોર્ટમાં ફેરફાર કર્યો - સુપ્રીમ કોર્ટ કરશે સીબીઆઈની સ્ટેટ્સ રિપોર્ટ પર પ્રશ્નો - વિપક્ષ રાજીનામા પર અટલ, સરકારે કર્યો રાજીનામાથી ઈંકાર - સંસદમાં આજે પણ કોલસા કૌંભાંડ પર હંગામાની શક્યતા