ગુરૂવારે વિપક્ષે સદનની કાર્યવાહી શરૂ થતા જ આ મુદ્દા પર ચર્ચાની માંગ કરી. કોંગ્રેસ નેતા મલ્લિકાર્જુન ખડગેએ પ્રશ્નકાળ સ્થગિત કરવાની માંગ કરતા કહ્યુ કે આ ગંભીર મુદ્દે ચર્ચા થવી જોઈએ. સંસદીય કાર્ય મંત્રી વૈકૈયા નાયડુએ કહ્યુ કે સરકાર ચર્ચા માટે તૈયાર છે અને તેના પર સ્પીકરે નિર્ણય કરવાનો છે. તેમણે કહ્યુ કે આ મુદ્દા પર રાજનીતિ ન કરવી જોઈએ.
હંગામો ચાલુ રહેતા સ્પીકરે સાંસદોને ફટકાર લગાવી. તેમણે કહ્યુ, ગઈકાલે બચાવવા ગયા હતા. હવે બતાવી રહ્યા છો. તેમ છતા સાંસદો પર કોઈ અસર ન થઈ. તેના પર તેમણે કહ્યુ કોઈને પણ ગરીબ ખેડૂતોની કોઈ ચિંતા નથી. બધા પોતાની રાજનીતિમાં લાગેલા છે.