અરવિંદ કેજરીવાલની આગેવાનીમાં બોલાવી આ રેલીમાં મોટી સંખ્યામાં ખેડૂતોનો જમાવડો લાગેલો થયો છે. આ ઉપરાંત આમ આદમી પાર્ટીએ પોતાના નેતા સંજય સિંહની અધ્યક્ષતામાં ખેડૂત સંઘર્ષ સમિતિનુ નિર્માણ કર્યુ છે. જેમની આગેવાનીમાં આજે જંતર મંતર પર પ્રદર્શન કરવામાં આવી રહ્યુ છે. ત્યારબાદ સંસદ ભવન સુધી માર્ચ પણ થશે. જો કે દિલ્હી પોલીસે આને મંજુરી આપી નથી.
બીજી બાજુ કેજરીવાલે આ રેલીને લઈને દિલ્હી પોલીસનુ કહેવુ છે કે તેમને આ બાબતને લઈને અગાઉથી કોઈ સૂચના નથી આપવામાં આવી કે ન તો કોઈ મંજુરી લેવામાં આવી છે. દિલ્હી પોલીસ મુજબ સંસદ સત્ર દરમિયાન નવી દિલ્હી વિસ્તારમાં ધારા 144 લાગૂ રહે છે. પોલીસે સ્પષ્ટ કર્યુ છે કે આવામા જો કોઈએ નિષેધાજ્ઞાનુ ઉલ્લંઘન કર્યુ તો તેના વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવશે.