દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે આરોપ લગાવ્યો કે મીડિયાના ખૂબ મોટા ગ્રુપ દ્વારા આપને ખતમ કરવાનું ષડયંત્ર રચાયુ છે. જો કે તેમને મીડિયાના પબ્લિક ટ્રાયલનું સમર્થન કર્યુ છે. પાર્ટી સાથે જોડાયેલ વિવાદો પર કરારો જવાબ આપતા તેમણે કહ્યુ કે ખૂબ મોટુ ષડયંત્ર ચાલી રહ્યુ છે. તેમણે કહ્યુ, 'મીડિયાના ખૂબ મોટા ગ્રુપ દ્વારા આપને ખતમ કરવાની સોપારી લેવામાં આવી છે'