હરિયાણામાં રેલી સંબોંધીને આમ આદમી પાર્ટીનું રાષ્ટ્રીય અભિયાન શરૂ કર્યા બાદ હવે અરવિંદ કેજરીવાલ ભાજપનાં વડાપ્રધાન પદનાં ઉમેદવાર નરેન્દ્ર મોદીનાં ગઢ ગુજરાતમાં રોડ શૉ યોજશે.
ગુજરાત ઉપરાંત કેજરીવાલ ઉત્તર પ્રદેશમાં પણ રોડ-શૉ કરશે. હરિયાણામાં યોજાયેલી વિશાળ રેલીની જેમ હવે આપ પાર્ટી એ પ્રકારનાં રોડ-શૉ યોજવા માંગે છે.
જો કે હજુ સુધી કાર્યક્રમને અંતિમ સ્વરૂપ આપવામા નથી આવ્યુ, સૂત્રોએ કહ્યુ કે ઉત્તર પ્રદેશમાં જનસમર્થન મેળવવાનાં ઉદ્દેશ્યથી આપ પાર્ટી રોડ-શૉ કરવા માંગે છે.