આમ આદમી પાર્ટીના અજય વોહરાએ કેજરીવાલને એક મેલ મોકલી છે જેમા તેમણે કુમાર વિશ્વાસ પર આ આરોપ લગાવ્યો છે. એટલુ જ નહી તેમણે કુમાર પર કાળુ ધન લેવાનો આરોપ પણ લગાવ્યો છે. 24 ડિસેમ્બરના રોજ મોકલેલ આ મેલ પછી કેજરીવાલે વોહરાને આ વાતનું આશ્વાસન આપ્યુ છે કે તેઓ આ મામલાની તપાસ કરાવશે અને કાર્યવાહી કરશે. ત્યારબાદ કેજરીવાલે સંસદીય મામલાની કમેટિને આ મામલાની માહિતી આપી અને આગળની કાર્યવાહી માટે વિચાર માંગ્યા.
વિશ્વાસે કેજરીવાલ પર સવાલ ઉઠાવ્યો હતો
વિશ્વાસે કેજરીવાલેન મોકલેલ મેલમાં કહ્યુ કે છે કેજરીવાલે વોહરાની વાત પર વિશ્વાસ કરવાને બદલે જાતે મને આ વિશે પુછીને મારા વિચાર જાણવા જોઈતા હતા. મેલમાં વિશ્વાસ કેજરીવાલને પોતાની આ મામલે વિચારની વાત કહે છે. સાથે જ તેમની પત્નીનુ નમ આ મામલામાં ઘસીટવા પર આપત્તિ બતાવે છે. એટલુ જ નહી આ મેલ પછી પાર્ટીના વરિષ્ઠ નેતાઓનો દાવો છે કે કેજરીવાલ પાસે આ મામલાની ક્લિપ પહેલાથી જ હાજર હતી.