કારગિલ વિજય દિવસની 15મી વર્ષગાંઠ પર જમ્મુ કાશ્મીરમાં આતંકી હુમલો થયો છે. શનિવારે સવારે લગભગ અઢી વાગ્યે બારામૂલા જીલ્લામાં આતંકવાદીઓએ ગ્રેનેડથી હુમલો કર્યો. હુમલામાં એક પોલીસ કર્મચારી શહીદ થઈ ગયો. જ્યારે કે અન્ય 4 ઘાયલ થઈ ગયા છે. સ્થાનીક પોલીસે જણાવ્યુ કે હુમલો સોપોરમાં મુખ્ય ચોકની નિકટ એક પોલીસ દળ પર થયો.