કારગિલ સીમા પર આ ઘૂસપેઠ 2 મે 1999માં શરૂ થઈ. કારગિલની લડાઈ લગભગ ત્રણ મહિના સુધી ચાલી હતી અને તેમા સેકડો ભારતીય જવાન શહીદ થયા. ફેબ્રુઆરી 1999માં તત્કાલીન પ્રધાનમંત્રી અટલ બિહારી વાજપેયીએ પાકિસ્તાનનો પ્રવાસ કર્યો હતો. પણ તેના થોડા મહિના પછી જ બંને દેશો વચ્ચે કારગિલ યુદ્ધ શરૂ થઈ ગયુ.