કમળ બતાવ્યુ છે ચપ્પુ નહી - મોદી

ગુરુવાર, 1 મે 2014 (11:39 IST)
ગાંધીનગરમાં વોટ પછી બીજેપીનું ચૂંટણી ચિહ્ન કમળ બતાવતા પોતાના વિરુદ્ધ એફઆઈઆર નોંધાવતા મોદી ખૂબ જ ગુસ્સ્માં છે. નરેન્દ્ર મોદીએ બુધવારે કહ્યુ કે આ તેમના જીવનની પ્રથમ એફઆઈઆર છે. જે તેઓ ક્યારેય નહી ભૂલે. પ્રધાનમંત્રી પદના ભાજપાના ઉમેદવારે કોંગ્રેસને પણ આડા હાથે લેતા કહ્યુ કે તેઓ હારનો સામનો કરી રહ્યા છે અને આ વાતને લઈને પરેશાન છે કે એક સમય ચા વેચીને ગુજારો કરનારો આ વ્યક્તિ આજે અમને પડકારી રહ્યો છે.

મોદીએ આંધ્રપ્રદેશના તિરુપતિમાં જનસભાને સંબોધિત કરતા કહ્યુ, મારા  જીવનમા મારા વિરુદ્ધ એક પણ પ્રાથમિકી નોંધવામાં આવી નહોતી. અહી સુધી કે રસ્તા પર ખોટી દિશામાં સ્કૂટર ચલાવવાનો કે ખોટી રીતે પાર્કિંગ કરનારો પણ કોઈ મુદ્દો ક્યારેય રહ્યો નથી.  તેમણે કહ્યુ, હુ જેવો ઉતર્યો મને એકદમ જાણ થઈ કે મારા વિરુદ્ધ રિપોર્ટ નોંધવામાં આવી છે. હુ 30 એપ્રિલનો દિવસ ક્યારેય નહી ભુલુ.   જો કોઈ ચપ્પુ. પિસ્તોલ કે બંદૂક બતાવે છે તો વાત સમજાય છે પણ તમને ખબર છે મારા વિરુદ્ધ ફરિયાદ કેમ નોંધાઈ કારણ કે હું કમળ બતાવ્યુ છે. 
 

વેબદુનિયા પર વાંચો