ગઈકાલે તેને પોતાના ગૃહનગર મથુરામાંથી પકડવામાં આવ્યો. શિવકુમાર પહેલા પણ અપરાધી રહી ચુક્યો છે. આ વાત પોલીસ દ્વારા તેના અંગેની પૂછપરછ દરમિયાન સામે આવી છે. તેણે કથિત રૂપે પોલીસને જણાવ્યુ કે તે બળાત્કાર કેસમાં સાત મહિના માટે પહેલા પણ જેલ જઈ ચુક્યો છે. તેના વિરુદ્ધ આ કેસ 2011માં દક્ષિણી દિલ્હીના મહરૌલી વિસ્તારમાં નોંધાવવામાં આવ્યો હતો. પોલીસ અધિકારીએ કહ્યુ . તેનો દાવો છે કે પછી તેને આ મામલે છોડી દેવામાં આવ્યો. અમે તેના દાવાઓની તપાસ કરી રહ્યા છે.
યાદવને આજે કે સ્થાનીક કોર્ટમાં રજુ કરવામાં આવશે અને આગળની તપાસ અને પૂછપરછ માટે તેની રિમાંગ માંગવામાં આવશે. ઉત્તરપ્રદેશના મથુરાથી ધરપકડ કર્યા પછી તેને ગઈકાલે રાત્રે દિલ્હી લાવવામાંઅ અવ્યો હતો. દિલ્હી અને મથુરાનુ અંતર લગભગ 180 કિલોમીટર છે. આ દરમિયાન આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓએ એનએસયુઆઈના સભ્યોને કેન્દ્રીય ગૃહમંત્રી રાજનાથ સિંહના ઘરની બહાર આ મુદ્દે આજે સવારે પ્રદર્શન કર્યુ.