એંટની દ્વારા મીડિયાને ચેતાવણી

ભાષા

સોમવાર, 21 ડિસેમ્બર 2009 (09:10 IST)
ભારતના રક્ષા મંત્રી એ કે એંટનીએ કહ્યું છે કે, સમાચારોના કવરેજ દરમિયાન મીડિયા સતર્કતા વર્તે. મલયાલમી વર્તમાન પત્ર 'મંગલમ' ની 20 મી વર્ષગાંઠ પ્રસંગે એંટનીએ મીડિયાને સમાચારોને સનસનાટી બનેલા બનાવાથી રોકવા અપીલ કરી.

તેમણે કહ્યું કે, મીડિયાએ સમાચારો દેખાડવામાં સાવધાની વર્તવી જોઈએ. પ્રવાસી મામલાઓના મંત્રી વાયલર રવિએ આ પ્રસંગે જણાવ્યું કે, મીડિયાએ વગર હરીફાઈએ સમાજ કલ્યાણ માટે કામ કરવું જોઈએ.

વેબદુનિયા પર વાંચો