ઉત્તરાખંડમાં ફરી એક વખત કુદરતનો કહેર વરસ્યો છે. ટિહરીના જનખિયાલી વિસ્તારમાં વાદળ ફાટ્યુ અને ત્યારબાદ ભેખડ ધસી પડતા ઓછામાં ઓછા 6લોકોના મોત નિપજ્યા છે. આ ઉપરાંત રૂદ્રપ્રયાગ ટિહરી માર્ગ બંધ છે અને હજુ આગામી 24 કલાકમાં ભારે વરસાદની આગાહી છે.
બુધવારની રાત્રે આ દુર્ઘટના સર્જાય હતી અનેક લોકોના મોત નિપજ્યા હોવાની આશંકા વ્યક્ત થઈ રહી છે. નોંધનીય છે કે ઉત્તર ભારતના પહાડી વિસ્તારો સહિત દેશના અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે જેને પગલે જનજીવન અસ્તવ્યસ્ત છે.
બુધવારે મહારાષ્ટ્રના પુણે જિલ્લીમાં ભારે વરસાદને પગલે ભેખડ ધસી પડતા 17 લોકોની મોત થઈ ચુકી છે. જ્યારે 160થી પણ વધારે લોકો દટાયા હોવાની આશંકા છે.