વાવાઝોડાને કારણે ભેખડો ખસી ગઈ અને તેની નીચે ઉભેલા ૧૦ લોકો દબાઈ ગયા હતા. હાલ મૃતદેહોને બહાર કાઢવાના પ્રયાસો ચાલુ છે. રાહત અને બચાવકાર્ય પણ શરૂ કરવામાં આવ્યુ છે. મૃતકોમાં એક મહિલા અને બે બાળકો સહિત ૧૦ લોકોના મોત થયા છે. આ વાવાઝોડાને કારણે લગભગ અડધો ડઝનથી વધુ મકાનોની છત ઉડી ગઈ છે.