ઉડીસા સેવા ચિકિત્સા સંઘે મુખ્યમંત્રી નવીન પટનાયક સાથે કરેલી બેઠકમાં રાજ્યભરમાં રવિવારે થનાર ડોક્ટરોની હડલાળ મોકૂફ કરાઈ હતી.
સંઘના અધ્યક્ષ મધુસૂદન મિશ્રાએ કહ્યુ હતું કે રાજ્યના હિતમાં અને મુખ્યમંત્રી પ્રતિ સમ્માન જાળવી રાખવા બધા ડોક્ટરો રોજની જેમ તેમનું કાર્ય સંભાળશે.
શ્રી પટનાયકે જણાવ્યુ કે તેમની સરકાર હંમેશાથી ડોક્ટરોની નાનામાં નાની જરૂરિયાતને પૂર્ણ કરતી આવી રહી છે. અને જો તેમાં કોઈ ઉણપ રહી હોય તો સ્વાસ્થ્ય સચિવ તે અંગે તપાસ કરશે.