ઈસરોના જી.માધવનને પુરસ્કાર

વાર્તા

શનિવાર, 15 નવેમ્બર 2008 (10:58 IST)
ભારતીય અવકાશ સંસોધન કેન્દ્ર. ઈસરોના અધ્યક્ષ જી માધવન નાયરને વિજ્ઞાન ક્ષેત્રમાં ઉલ્લેખનીય યોગદાન કરવા બદલ અને ખાસ કરીને ચન્દ્રયાન પ્રથમની સફળતા માટે આ વર્ષનો મોહમ્મદ અબ્દૂ રહેમાન સાહિબ ફાઉંડેશન રાષ્ટ્રીય પુરસ્કાર એનાયાત કરવામાં આવ્યુ છે.

શ્રી નાયરને આ પુરસ્કાર 20 સપ્ટેમ્બરના રોજ એક કાર્યક્રમમાં એનાયત કરવામાં આવશે. આ પુરસ્કારમાં એક પ્રતિમા, પ્રમાણપત્ર અને શાલ આપવામાં આવે છે.

પુરસ્કાર પસંદગી સમિતિના અધ્યક્ષ કે એ રાધાકૃષ્ણન અને ફાઉંડેશનના મહાસચિવ અબ્દૂ રહમાન ક ડપ્પૂરૂએ એક પત્રકાર પરિષદમાં જણાવ્યુ હતું કે હાઈ કોર્ટના મુખ્ય ન્યાયાધીશ કે જી બાલાકૃષ્ણન 20 ડિસેમ્બરે એક ખાસ કાર્યક્રમમાં શ્રી નાયરને આ પુરસ્કાર એનાયત કરશે.

વેબદુનિયા પર વાંચો