આસામમાં 38 ઉગ્રવાદીઓનું આત્મસમર્પણ

ભાષા

બુધવાર, 17 ડિસેમ્બર 2008 (10:11 IST)
ઉલ્ફાના 27 ઉગ્રવાદીઓ સહિત જુદા જુદા સંગઠનો સાથે જોડાયેલ 38 ઉગ્રવાદીઓએ ગઈ કાલે સેનાની સામે આત્મસમર્પણ કરી દિધું હતું.

ઉલ્ફાના સભ્યોની અંદર બે મહિલાઓનો પણ સમાવેશ હતો. એનએસસીએનના સાત અન્ય અને કાર્બી લોંગરી નેશનલ લિબરેશન ફ્રંટ (કેએનએલએ)ના ચાર સભ્યોએ ડુબ્રુગઢ જીલ્લા આયુક્ત અગ્નિહોત્રી અને અન્ય વરિષ્ઠ પોલીસ તેમજ સૈન્ય અધિકારીયોની હાજરીમાં ડિવીઝનના જીઓસી મેજર જનરલ જતિંદર સિંહની સામે આત્મસમર્પણ કર્યું હતું.

વેબદુનિયા પર વાંચો