જયલલિતા વર્ષ 1991-96માં પહેલી વખત મુખ્યમંત્રી બન્યા હતા અને ત્યારબાદ તેમની સંપત્તિ આવકથી વધારે 66 કરોડ થઈ હોવાનો આરોપ છે. તેમના નિકટતમ શશિકલ નટરાજન, તેમના સંબંધી ઈલવરાસી, તેમના ભત્રીજા અને જયલલિતા દ્વારા દત્તક લીધેલ પુત્ર સુધારક સહિત અન્ય લોકોને આ મામલે આરોપી બનાવવામાં આવ્યા છે. તમિલનાડુ સતર્કતા અને ભ્રષ્ટાચાર નિરોધક વિભાગે આ મામલે ચેન્નઈની વિશેષ અદાલતમં વર્ષ 1996માં કેસ દાખલ કર્યો હતો.