આરૂષિનો હત્યારો નેપાળ ભાગી ગયો !

ભાષા

શુક્રવાર, 3 ઑક્ટોબર 2008 (13:38 IST)
આરૂષિ હત્યાકાંડમાં સામેલ એવો એક આરોપી રાજકુમાર જામીન પર છુટીને નેપાળ ભાગી ગયો હોવાનું બહાર આવ્યું છે. જ્યારે બીજો કૃષ્ણા હજી ભારતમાં છે.

રાજકુમારનાં વકીલ નરેશ યાદવે જણાવ્યું હતું કે રાજકુમારનાં માતાપિતા નેપાળ રહે છે. તેથી તે નેપાળ ગયો છે. કોર્ટ જમાનત આપતી વખતે તેની પર કોઈ જાતનો પ્રતિબંધ લગાવ્યો નહતો.

જો કે હત્યાકાંડનો મુખ્ય આરોપી કૃષ્ણા હજી ભારતમાં છે. તે પણ નેપાળનો રહેવાસી છે. કૃષ્ણાનાં વકીલ ફતેહ ચંદ્ર શર્માએ જણાવ્યું હતું કે તે ભારતમાં જ છે, તેણે દેશ છોડ્યો નથી. અને,દેશ છોડવાનો ઈરાદો નથી.

નોઈડામાં દાંતનાં તબીબ રાજેશ તલવારનાં કંમ્પાઉન્ડર કૃષ્ણા પર આરૂષિ અને તેમના નોકર હેમરાજની હત્યા કરવાનો આરોપ છે.

વેબદુનિયા પર વાંચો