ઉલ્લેખનીય છે કે દિલ્હી વિધાનસભા પૂર્વ સ્પીકર અને બંગપુરા બેઠકથી ધારાસભ્ય રહેલા એમ.એસ. ધીરે આમ આદમી પાર્ટીની સામે પોતાનો અવાજ ઉઠાવ્યો હતો. તેમણે પાર્ટીની અંદર લોકતંત્રની ઉપણને મુદ્દો બનાવ્યો હતો. તે સાથે પીએમ મોદીની કામગીરીના વખાણ કર્યા હતા. એમ.એસ ધીરે જ્યારે આપ સામે બગાવતનો સૂર છેડી દીધો ત્યારે આમ આદમી પાર્ટીના સંયોજક અરવિંદ કેજરીવાલ કહ્યું કે જે લોકોને ટિકીટ મળતી નથી તે લોકો જ આ પ્રકારના નિવેદન આપે છે.