આતંકવાદીઓ લોકશાહીનાં દુશ્મન- રાહુલ

ભાષા

રવિવાર, 30 નવેમ્બર 2008 (16:14 IST)
કોંગ્રેસનાં મહાસચિવ રાહુલ ગાંધીએ જણાવ્યું છે કે આતંકવાદી લોકશાહીનાં સમગ્ર તંત્રને તોડી પાડવા ઈચ્છે છે.

રાજસ્થાનનાં રાજસમંદ જિલ્લામાં એક જનસભાને સંબોધિત કરતા રાહુલે જણાવ્યું છે કે, ભાજપ સરકાર આદિવાસીઓને વનાધિકાર આપવામાં નિષ્ફળ રહી છે.

રાજસ્થાન પ્રદેશ કોંગ્રેસ સમિતિના અધ્યક્ષ ડો.પી.સી.જોશીના સમર્થનમાં આયોજિત સભાને સંબોધિત કરતા રાહુલે જણાવ્યું કે રાજ્ય સરકારે કેન્દ્રિય યોજનાઓનો લાભ ઉપલબ્ધ ન કરાવ્યો અને કેન્દ્ર દ્રારા આપવામાં આવેલી સહાય લોકો સુધી પહોચી નથી. તેમણે લોકોને કોંગ્રેસનું સમર્થન કરવા તથા વિભાજનકારી તાકાતોને ફગાવી દેવાનું આહ્વાન કર્યું છે.

વેબદુનિયા પર વાંચો