આઝમ ખાન ફરી બોલ્યા કડવા વેણ, PMને હત્યારા કહ્યા

સોમવાર, 15 ડિસેમ્બર 2014 (12:42 IST)
યુપી સરકારના કેબિનેટ મંત્રી આઝમ ખાને એકવાર ફરી વિવાદિત નિવેદન આપ્યુ છે. એક કાર્યક્રમમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનુ નામ લીધા વગર તેમની પર નિશાન સાધ્યુ. પીએમની તુલના તાનાશાહ સદ્દામ હુસૈન સાથે કરતા જોવા મળ્યા. બીજેપીના બીજા અન્ય નેતા પણ આઝમ ખાનના નિશાના પર રહ્યા. 
 
આઝમ મીડિયા પર જોરદાર વરસ્યા. તેમણે કહ્યુ કે મોદીને પીએમ મીડિયાએ બનાવ્યા છે. આઝમે યુપીના રાજ્યપાલ રામ નાઈકને પણ નથી છોડ્યા. આઝમે નાઈકને મંદિરના પુજારી કહી નાખ્યા. બીજી બાજુ મીડિયા પર હુમલો બોલતા તેમને દેશના સૌથી મોટા દુશ્મન ગણાવ્યા. 
 
તેમણે કહ્યુ કે મીડિયા વેચાય ગયુ છે અને તેણે મોદીને પીએમ બનાવ્યા. આઝમના નિવેદન પછી તેમની ચારેબાજુ નિંદા થઈ રહી છે. અમરોહામાં થયેલ આ કાર્યક્રમમાં ઉત્તરાખંડના રાજ્યપાલ કુરૈશી પણ હાજર હતા. 

વેબદુનિયા પર વાંચો