મોદીની સરકાર આવતા જ એસઆઈટી ટીમના ગઠનની જાહેરાત કરી. પણ તાજેતરમાં જ સુપ્રીમ કોર્ટમાં આપેલ સોગંધનામાથી દેશવાસીઓને ઝટકો લાગ્યો છે. અન્નાએ મોદીને પ્રશ્ન કર્યો કે એવી શુ મજબુરી છે કે તેઓ કાળુ નાણું છુપાવનારાનુ નામ જાહેર નથી કરી શકતા. તેમણે લખ્યુ કે મોદી સરકારને આવીને પાંચ મહિના વીતી ગયા છે. પણ કાળુ નાણુ લાવવા અથવા લોકપાલ નિમણૂંક માટે કોઈ પગલા ઉઠાવ્યા નથી.