અડવાણીએ મોદીનો કર્યો હતો બચાવ !

વાર્તા

શનિવાર, 22 ઑગસ્ટ 2009 (15:37 IST)
P.R
પાકિસ્તાનના સ્થાપક મોહમ્મદ અલી ઝીણા પર લખેલા પુસ્તકને પગલે ભાજપા દ્વારા પાર્ટીમાંથી હકાલપટ્ટી કરાયેલા પૂર્વ કેન્દ્રીય મંત્રી જશવંતસિંહે કેટલાક ચોંકાવનારા ખુલાસા કરી ભાજપ અને અડવાણીની પોલ ખોલી છે.

જશવંતસિંહે ગુજરાતના તોફાનો, મોદી અને અડવાણી વચ્ચેના સંબંધો મામલે ચોંકાવનારા ખુલાસા કર્યા છે. અડવાણી સામે આરોપ લગાવતાં તેમણે કહ્યું હતું કે, અડવાણીને લીધે પાર્ટીને ઘણીવાર નુકશાનીનો સામનો કરવો પડ્યો છે.

તેમણે કહ્યું કે, ગુજરાત તોફાનો બાદ તત્કાલિન પ્રધાનમંત્રી અટલબિહારી વાજપાઇ મોદી વિરૂધ્ધ કાર્યવાહી કરવા ઇચ્છતા હતા. અને આ અંગે વાજપાઇજીએ અડવાણી, અરૂણ શૌરી અને મારી સામે આ પ્રસ્તાવ મુકયો હતો. જોકે અડવાણીએ મોદીનો બચાવ કર્યો હતો. તેમણે સાફ શબ્દોમાં કહ્યું હતું કે જો આમ થશે તો પાર્ટીમા હંગામો થશે.

વેબદુનિયા પર વાંચો